Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

રણછોડદાસજીબાપુ આશ્રમના ટ્રસ્ટી પ્રવિણભાઈ વસાણીનો જન્મદિન

રાજકોટ : શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ - સદ્દગુરૂ સદન અને શ્રી રણછોડદાસજીબાપુ હોસ્પિટલ - રાજકોટના ટ્રસ્ટી એવા શ્રી પ્રવિણભાઈ વસાણીનો ગઈકાલે જન્મદિવસ હતો. તેઓએ યશસ્વી જીવનના ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં સેવા આપી રહ્યા છે. તેઓએ બિલ્ડર વ્યવસાય ક્ષેત્રે પણ સારી એવી નામના મેળવેલ. હાલમાં તેઓ સદ્દગુરૂ આશ્રમમાં જ સેવા આપી રહ્યા છે. સરળ સ્વભાવના એવા શ્રી પ્રવિણભાઈ વસાણીને મો.૯૮૭૯૭ ૩૪૧૭૮ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:44 am IST)