Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

રાજકોટ ક્રિમીનલ બાર એસો.માં કન્વીનર નરેન્દ્રસિંહ ચાવડાનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૭: રાજકોટના જાણીતા એડવોકેટ અને રાજકોટ ક્રિમીનલ બાર એસોશીએશનના કન્વીનર નરેન્દ્રસિંહ ચાવડાનો આજે જન્મદિવસ છે તેઓ છેલ્લા આશરે રર વર્ષથી ફોજદારી, સીવીલ તેમજ ફેમીલી કોર્ટમાં વકીલાત કરી રહ્યા છે તેમજ તેઓ રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જીલ્લા તથા તમામ તાલુકાની કોર્ટમાં વકીલાત કરી રહ્યા છે.

તેઓ ભુતકાળમાં ક્રિમીનલ બાર એસોશીએશનના પ્રમુખ, રાજકોટ જીલ્લા ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય, ભાજપ લીગલ સેલ રાજકોટ શહેરના સહઇન્ચાર્જ, ભાજપ માનવ અધિકાર સેલના રાજકોટ શહેરના મંત્રી તથા ભાજપ માનવ અધિકાર સેલના સૌરાષ્ટ્ર કચ્છના ઇન્ચાર્જ તથા વિશ્વ હિન્દુ પરિષદની શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શોભાયાત્રાના સુશોભન સમીતીના નિર્ણાયક તરીકે તેમજ અનેક સામાજીક સંસ્થાઓ ઉપરાંત શ્રી બેડીપરા રાજપુત મંડળના મંત્રી તરીકે તથા હાલમાં પણ શ્રી બેડીપરા રાજપુત મંડળના કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહેલ છે આ ઉપરાંત ભુતકાળમાં તેઓશ્રીએ શ્રી કારડીયા રાજપુત કર્મચારી મંડળ રાજકોટ જીલ્લાના સેક્રેટરી તરીકે સેવાઓ આપેલ હતી. આજરોજ તેઓના જન્મ દિવસ નીમીતે તમામ મિત્રો તથા સીનીયર-જુનીયર વકીલ મિત્રો અને સ્નેહીજનો તરફથી તેાોના મોબાઇલ નંબર ૯૮૯૮ર ૪ર૩૯ર તથા ૭૯૮૪૪ ૦૯૩૮પ ઉપર શુભેચ્છાઓ આપવામાં આવી રહેલ છે.

(2:56 pm IST)