Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

રાજકોટ, અમદાવાદ, સુરતના પૂર્વ કલેકટર

ગુજરાતના નિવૃત અગ્રસસચિવ વસંતભાઇ ગઢવીનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના આઇ. એ. એસ. કેડરના નિવૃત અધિકારી શ્રી વસંતભાઇ ગઢવીનો જન્મ તા. ર૦ જાન્યુઆરી ૧૯પ૩ ના દિવસે થયેલ. આજે ૬૮ માં વર્ષમાં પ્રવેશ  કર્યો છે. તેઓ એમ. કોમ.ની પદવી ધરાવે છે. સરકારની સેવામાંથી નિવૃત થયા બાદ હાલ અદાણી ગ્રુપની યુવાનો માટેની સ્કીલ ડેવલોપમેન્ટ પ્રવૃતિ અને  ભુજ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. લેખન અને વ્યાખ્યાન ક્ષેત્રે પણ સ્ક્રીય છે.

શ્રી વી. એસ. ગઢવી અગાઉ કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ, સુરત અને અમદાવાદ જિલ્લા કલેકટર, રાજયના માહિતી નિયામક, મનોરંજન કર કમિશનર, સહકાર સચિવ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીમાં અધિક મુખ્ય વહીવટી અધિકારી, નાણા નિગમના મેનેજીંગ ડીરેકટર, ખનિજ વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર, પાણી પુરવઠા વિભાગમાં સચિવ, પાણી પુરવઠા બોર્ડના ચેરમેન, મહેસુલ વિભાગમાં અગ્રસચિવ, મુખ્ય માહિતી અધિકાર કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૬૧૩૦ અમદાવાદ

(11:33 am IST)