Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ-વેરાવળમાં યાદગાર ફરજ

કાલે મહેસાણાના અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડનો જન્મદિન

રાજકોટ : મહેસાણામાં નિવાસી અધિક કલેકટર તરીકે કાર્યરત શ્રી પ્રદીપસિંહ બી. રાઠોડ માટે આવતીકાલનો સૂરજ વિશેષ યાદગાર દિવસ ઉગાડશે. તેમનો જન્મ ૧૯૭૩ ના વર્ષની ૧૯ જાન્યુઆરીએ થયેલ. આવતીકાલે વાઇબ્રન્ટ જીવનના ૪૮ માં વર્ષના પંથે પ્રયાણ કરશે.

રાજકોટ તેમની જન્મભૂમિ અને મોરબી પંથકનું વેજલપુર ગામ તેમનું મૂળ વતન છે. તેઓ ભુતકાળમાં ગાંધીનગર અને જુનાગઢમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, મહેસાણામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ  કલેકટર, કલોલમાં અને વેરાવળ સોમનાથમાં પ્રાંત અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. વહીવટી તંત્રમાં પ્રતિભાવંત અધિકારી તરીકે જાણીતા છે. આવતીકાલના જન્મદિન  નિમિતે આજથી જ તેમના પર શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચૂકી છે.

ફોન નં. ૦ર૭૬ર રરરર૦૦ મો. ૯૯રપર ૩ર૩૭૩ મહેસાણા

(11:26 am IST)