Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

પ્રદેશ ભાજપ લઘુમતિ મોરચાના મંત્રી આસીફ સલોતનો કાલે જન્મદિન

રાજકોટઃ પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના મંત્રી અને અલ્પ સંખ્યક નાણાં નિગમના ડીરેકટર એવા આસીફભાઈ સલોતનો આવતીકાલે તા.૧૨મીના રવિવારના રોજ જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૭ વર્ષ પુર્ણ કરી ૩૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આસીફભાઈ સલોતના માતા ખેરૂનબેન સલોત તથા મર્હુમ કાદરભાઈ સલોતના સંસ્કારોના સિંચનથી તેઓ બાળપણથી જ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. મર્હુમ કાદરભાઈ સલોત ભાજપમાં અનેક સેવાઓ આપી ચુકયા છે. આદર્શ તરીકે હંમેશા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને માન્યા હતા. તેમના માતા ખેરૂનબેન પણ અગાઉ કોર્પોરેશનની ચુંટણી લડયા હતા. જનસંઘની વિચારધારાથી જોડાયેલા તેમના સંસ્કારો પણ ઉતરી આવ્યા છે. આસીફભાઈ શહેર ભાજપ લઘુમતી મોરચાના આગેવાન તરીકે વિવિધ જવાબદારીઓ સંભાળી છે. ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી, શહેર ભાજપ કારોબારીમાં વિશેષ આમંત્રિત સદસ્ય તેમજ રાજકોટ શહેર તાજીયા કમિટીના પ્રમુખ, રાજકોટ શહેર જામા મસ્જીદના ઉપપ્રમુખ, રાજકોટ શહેર યમીન કમિટીના મહામંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. લઘુમતી સમાજ શિક્ષિત અને ધંધા- રોજગાર ક્ષેત્રે પગભર થાય તે માટે અલ્પ સંખ્યક નાણાં નિગમ દ્વારા સમાજના યુવાનોને લોન અપાવી સમાજને નવો રાહ ચીંધ્યો છે. મો.૯૮૨૫૦ ૭૮૬૦૯ તેમની દીકરીઓ અક્ષા અને અસરાએ પણ શુભેચ્છા પાઠવી છે.

(1:04 pm IST)