Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

રાજકોટ ભાજપ લીગલ સેલના કારોબારી સભ્ય એડવોકેટ સંજય પરમારનો આજે જન્મદિવસ

રાજકોટ : રાજકોટના જાણીતા એડવોકેટ સંજયભાઇ પરમારનો આજે જન્મદિવસ છે. તેઓએ પોતાના મંગલમયી જીવનના ૪૭ વર્ષ પુરા કરી ૪૮માં વર્ષમાં  પ્રવેશ કર્યો છે. તેમણે ર૦૦૧માં કાયદાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ ધારાશાસ્ત્રી તરીકે પ્રેકિટસ શરૂ કરી હતી. સંજયભાઇ બી.કોમ. એલએલ.બી.ડીટીએલબી અને હ્યુમન રાઇટ્સ વિષય સાથે એલએલએમનો અભ્યાસ કર્યો છે.

તેઓએ રેવન્યુ ક્રિમિનલ તેમજ ટ્રેડ માર્ક/કોપી રાઇટના ક્ષેત્રમાં પ્રેકિટસ કરી ખૂબ સારી નામના મેળવી છે. અનેક મંડળીઓ માટે પણ તેઓ વકીલાતની સેવા આપી રહ્યા છે. તેઓ શહેર ભાજપ લીગલ સેલના કારોબારી સભ્ય છે. અને વોર્ડ નં.૧૧ના સક્રિય ભાજપ કાર્યકર તરીકે પણ સંગઠનમાં યોગદાન આપી રહ્યા છે. ચુસ્ત હરિભકત એવા સંજયભાઇ વકીલ મંડળમાં મામાના હુલામણા નામથી ઓળખાય છે. આજના દિવસે વકીલગણ, સ્નેહી મિત્રો તરફથી તેમના મો. ૯૮ર૪૪ પ૮૦૪૭ ઉપર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.

(2:23 pm IST)