Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

કાલની ઘડી રળિયામણી, હરદેવસિંહ જાડેજાના જન્‍મદિનની વધામણી...

રાજકોટ : રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સહકારી વગેરે ક્ષેત્રે અનન્‍ય યોગદાન આપી રહેલા જાહેર જીવનના જાણીતા અગ્રણી શ્રી હરદેવસિંહ જાડેજાનો જન્‍મ તા.ર૧ મે ૧૯૬૯ ના દિવસે થયેલ આવતીકાલે પંચાવનમા વર્ષના પંથે પ્રયાણ કરશે.

વાંકાનેર તાલુકા અગાભી પીપળીયા ગામના મૂળ વતની અને રાજકોટમાં રહેતા સૌના સાથી, સરળ મિલનસાર પ્રકૃતિના રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વાંકાનેર માર્કેટીંગ યાર્ડના ચેરમેન, મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી ઇફકોના ડેલીગેટ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સિન્‍ડિકેટ સભ્‍ય કોટેચા ગર્લ્‍સ સ્‍કુલના ટ્રસ્‍ટી, સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલના ટ્રસ્‍ટી, આર.ડી.ગારડી શૈક્ષણીક સંકુલના ટ્રસ્‍ટી, દીકરાનું ઘર ઢોલરા વૃધ્‍ધાશ્રમના સલાહકાર સમિતિના સભ્‍ય, ક્ષત્રિય સમાજના અગ્રણી શ્રી હરદેવસિંહ ડી.જાડેજા આજથીજ જન્‍મદિવસની લાગણીભીની શુભકામનાઓથી ભીંજાઇ રહ્યા છે.  મો.૯રપ૪ ૯રપ૦૯ રાજકોટ

(12:50 pm IST)