Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

સુરેન્‍દ્રનગરના પત્રકાર જીતેન્‍દ્રભાઇ ગજ્જરનો જન્‍મદિન

વઢવાણ, તા. ૧૯ : સુરેન્‍દ્રનગર શહેરના પ્રિન્‍ટ મીડિયા અને ઇલેક્‍ટ્રોનિક મીડિયા ના પત્રકાર જીતેન્‍દ્રભાઈ ગજ્જરનો આજે જન્‍મદિવસ  છે.  તેઓનો ૬૮ માં વર્ષમાં પ્રવેશ થયો છે.

પત્‍ની ગાગીબેન ગજ્જર તેમજ પુત્ર ભાર્ગવ તોહાબેન હેમલભાઈ રિકિતાબેન તેમજ પૌત્રી દર્શી તેમજ ધ્‍યાન પરિવારજનો દ્વારા ઈશ્વર પાસે તેમનું આરોગ્‍ય સ્‍વસ્‍થ અને નીરોગી રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને જન્‍મદિવસની શુભકામના પાઠવી ત્‍યારે તેમના આજના જન્‍મદિવસ અવસરે તેમનું મિત્ર વર્તુળ રાજકીય આગેવાનો તેમજ વેપારી મિત્રો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્‍યારે તેમને તેમના જન્‍મદિવસ અવસરે પત્રકાર મિત્રો દ્વારા પણ તેમને શુભકામના પાઠવવામાં આવી છે.

(11:38 am IST)