Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળના જ્ઞાતિ રત્ન

પ્રમુખ મનસુખભાઇ ધંધુકિયાનો આજે જન્મદિવસઃ પ૯માં પ્રવેશ

રાજકોટ : મુળ પાંચપીપળીયા અને રાજકોટ ખાતે તા. ૨૩-૫-૧૯૬૧ના જન્મેલ વાટલીયા પ્રજાપતિ શ્રી મનસુખભાઇ સવજીભાઇ ધંધુકીયાનો આજે જન્મદિવસ છે. ન  વાદ, ન  વિવાદમાં માનનારા ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તા છે  કોઈપણ પદ કે હોદ્દાની અપેક્ષા વગર પક્ષની જવાબદારી નિભાવે છે. તેમજ સોના-ચાંદીના અગ્રણી વેપારી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જ્ઞાતિ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ. તેઓ  રામનાથપરા મુકિતધામ અને ઇન્ડોર ઓડીટોરીયમની જવાબદારી નિભાવે છે. રાજકોટ વાટલીયા પ્રજાપતિ યુવક મંડળની સ્થાપના કરી રાજકોટ ખાતે વાટલીયા પ્રજાપતિની વાડીનું ભવ્ય નિર્માણ કરાવેલ. શિક્ષણના હિમાયતી શ્રી મનસુખભાઇએ    વાડી   ખાતે વિદ્યાર્થી છાત્રાલય અને લાઈબ્રેરી અને વાડી ખાતે ધોરણ ૧૦-૧રના કોચીંગ કલાસ ચાલુ કરાવેલ છે.

તેમના માર્ગદર્શન હેઠળ દર વર્ષે વિદ્યાર્થી સન્માન અને ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. ૧૪ વર્ષથી વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના સફળ અને હિતચિંતક પ્રમુખ તરીકે જ્ઞાતિની સેવા કરી રહ્યા છે. તાજેતરમાં વડીલ વંદના કાર્યક્રમ યોજી બુઝુર્ગોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ. સૌમ્ય અને શાંત સ્વભાવ અને ઉમદા કોઠાસુઝ ધરાવતા મનસુખભાઇ આજે જિંદગીના ૫૯માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેમના આજે જન્મદિને  શુભેચ્છકો,  મિત્રો,  સગા-સ્નેહીઓ દ્વારા શુભેચ્છકોનો ધોધ વહી રહ્યો  છે. મો.  ૯૮૨૪૨ ૧૨૦૦૫

(11:34 am IST)