Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રાજકોટમાં જાતજાતના 'વાઇરસ' વચ્ચે પ્રજાના પ્રેમની 'વેકસીન' અકસીર

કોરોના સામેના યોધ્ધા કમિશનર ઉદિત અગ્રવાલનો જન્મદિન

રાજકોટ : સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરીકે કાર્યરત શ્રી ઉદિત અગ્રવાલનો જન્મ ૧૯૮રના વર્ષની ર૩ મે એ થયેલ. આજે ૩૯માં વર્ષની ડોરબેલ વગાડી છે. રાજકોટમાં કમિશનર બન્યા બાદ તેમનો પ્રથમ જન્મદિન છે. હાલ કોરોના સામેની પ્રજાલક્ષી લડતના યોધ્ધા તરીકે તેઓ મોખરે રહ્યા છે.

શ્રી ઉદિત અગ્રવાલ મૂળ દિલ્હીના વતની અને ર૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ભરૂચમાં સપ્લીમેન્ટરી મદદનીશ કલેકટર, પાલીતાણામાં મદદનીશ કલેકટર, અમદાવાદ અને વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર અને પંચમહાલમાં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. ફોન નં. ૦ર૮૧-રરર૪રપ૮. મો. ૯૭૧૪પ ૦૩૭૦૧ રાજકોટ.

(11:33 am IST)