Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

નિલેશ કોઠારીનો આજે જન્મદિન

યુનિ રોડ જૈન સંઘના ટ્રસ્ટી, જૈન સોશયલ ગ્રુપ રોયલના પૂર્વ પ્રમુખ અને જે.એસ.જી.આઇ.એફ.રીજીયનના ઝોન - કોર્ડીનેટર

રાજકોટ તા.ર૧ : અહીંના શ્રી સુમતિનાથ જીનાલય યુનિવર્સિટી રોડ જૈન મુર્તિ પુજક સંઘના ટ્રસ્ટી, ખજાનચી શ્રી તેમજ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ રોયલનાં પુર્વ પ્રમુખ જે.એસ.જી.આઇ.એફ.ના ઝોન કોર્ડીનેટર, અલગ અલગ સામાજીક સંસ્થામાં જોડાયેલ છે અને જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ માટે તન, મન, ધનથી તત્પર, એવાં ધર્મપ્રેમી જૈનશ્રેષ્ઠી નિલેષભાઇ હસમુખભાઇ કોઠારીનો આજે જન્મદિવસ છે.

નિલેશભાઇ દ્વારા કોરોના સામેની લડતમાં પણ સામાજીક તથા આર્થિક યોગદાન આપવામાં આવેલ. રાષ્ટ્ર સંત પ.પૂ. આચાર્ય પદ્મસાગરસુરીશ્વરજી મ.સા., પ.પૂ.આચાર્ય અરૂણોદયસુરીશ્વરજી મ.સા., પ.પૂ.આચાર્ય દેવેન્દ્રસાગરસુરીશ્વરજી મ.સા., પ.પૂ. આચાર્ય અરવિંદસાગરસુરીશ્વરજી મ.સા., પ.પૂ.આચાર્ય યશોવિજયસુરીશ્વરજી મ.સા. તેમજ પ.પુ. આચાર્ય પ્રદિપચંદ્રસુરીશ્વરજી મ.સા.ના તેમના અને તેમના પરિવાર પર હંમેશા આર્શિવાદ રહેલ છે. તેમના પિતાશ્રી હસમુખભાઇ માતુશ્રી કલ્પનાબેન તથા તેમના ધર્મપત્ની બીજલબેન તેમજ સંતાનો સાગર અને ચાંદની પણ તેમની સામાજીક અને ધાર્મિક કાર્યોમાં સહકાર આપે છે.

આજે જન્મદિવસે નિલેષભાઇ દ્વારા સંસ્થાઓમાં આર્થિક સહયોગ અપાયેલ. મો.૯૩૭૭૭ ૭૭૬૦૧

(2:54 pm IST)