Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

આજે ભાવગનરનાં મહિલા જયોતિષી ડો. કૌશલ્યાબેન દેસાઇનો જન્મદિન

ભાવનગર તા. ર૧ : જાણીતા જ્યોતિષ ડો. કૌશલ્યાબેન દેસાઇનો આજે તા.ર૧ મે નાં રોજ જન્મદિવસ છે. અનેક એવોર્ડ મેળવી ભાવનગરનું ગૌરવ વધારનારા ડો.કૌશલ્યાબેન દેસાઇનાં ચાર પુસ્તકો પ્રસિદ્ધ થયેલ છે. એમ.કોમ.ની પદવી હાંસલ કરી ગ્રાફોલોજીમાં પી.એચ.ડી. થયેલા ડો. કૌશલ્યાબેન છેલ્લા ર૪ વર્ષથી જ્યોતિષક્ષેત્રે કાર્યરત છે.તેઓએ ૧૬૮૦૦ લોકોનાં હસ્તાક્ષર ઉપર અભ્યાસ કરી સચોટ માર્ગદર્શન પુરૃં પાડયું છે. ગ્રાફોલોજીસ્ટનાં વૈશ્વિક સંમેલનમાં ડો. કૌશલ્યાબેન દેસાઇનું વિશેષ યોગદાન બદલ સન્માન કરાયું હતું. મો.નં.૯૮ર૪૪ ૪પ૮૮૯ ઉપર શુભેચ્છા પ્રાપ્ત થઇ રહી છે.

(11:20 am IST)