Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભાવનગરના કોરોના વોરિયર્સ રાજુ ઉપાધ્યાયનો આજે જન્મદિવસ

ભાવનગર તા. ૧પઃ તાજેતરમાં કોરોના વાઇરસને કારણે કોરોના વોરિયર્સ તરીકે જાણીતા થયેલા ભાજપના અગ્રણી રાજુભાઇ ઉપાધ્યાયનો આજે તા.૧પ ના રોજ જન્મદિવસ છે.  પોતાના જન્મદિવસની દર વર્ષે કંઇક વિશિષ્ટ રીતે સેવાકીય ઉજવણી નિમીતી શહેરના વિવિધ વિસ્તારોમાં રાજુભાઇ ઉપાધ્યાય અને તેના મિત્ર મંડળ દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં આવશે.

ભાવેણાનું અને રાજુભાઇ ઉપાધ્યાયનું હિત ઇચ્છતા ભાવનગરના ૧૦૧ નામાંકિત ભુદેવો દ્વારા ઘરે રહીને રાજુભાઇના જન્મ દિવસ નિમિતે અને દેશને કોરોના મુકત કરવા શિવલિંગની પૂજા-અર્ચના થશે જયારે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા પસંદ કરાયેલા શ્રમિક વિસ્તારના પ૦૦ થી વધુ બાળકોને ભોજન પીરસવામાં આવશે. 'આત્મનિર્ભર બનો'ના સુત્ર હેઠળ આ બાળકોને તેમના સ્વહસ્તે ભોજન પીરસશે.

ભુતનાથ મિત્રમંડળ દ્વારા મુકેશભાઇ પુજારા (લક્ષ્મી ખમણ), સંજયભાઇ ડાભી (સનરાઇસ ડ્રેસીસ), રાકેશભાઇ પટેલ (બીએમસી કોન્ટ્રાકટર), અશોકભાઇ વાઘેલા વિગેરે મિત્રો રાજુભાઇ માટે રૂદ્રીના પાઠ કરશે.

સર.ટી.હોસ્પિટલમાં આવેલ કોરોના વોર્ડમાં એમના સ્વહસ્તે ફ્રુટકીટનું વિતરણ કરવામાં આવશે. રાજુભાઇને તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે.

(11:31 am IST)