Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ડો.સૈયદના સાહેબનો કાલે જન્મદિવસ

બાવનમાં દાઈ બાવાજી સાહેબના જન્મદિને જ ઉજવણી કરે છે : દાઉદી વ્હોરા સમાજના ભાઈ- બહેનો ઘરમાં જ નમાઝ પઢશે

રાજકોટઃ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)નો આવતીકાલે તા.૧૫ના શુક્રવારના રોજ જન્મદિવસ છે. પરંતુ તેઓ આ દિવસે જન્મદિવસ ઉજવણી કરતા નથી. આ જન્મ દિવસ બાવનમા દાઈ બાવાજી સાહેબના જન્મ દિવસ (જન્મ જયંતિ) તા.૨૦મી રબીઉલ આખરના રોજ આવે છે ત્યારે જ તેઓ તેમનો જન્મ દિવસ ઉજવે છે.

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના લોકો દરેકે દરેક પોતાના ઘરમાં રહીને ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ને ૭૭મી સાલગીરાહ (જન્મદિવસ)ની મુબારક બાદી આપીને તેમના દિર્ઘ આયુષ્ય માટે ઘરે નમાઝ પઢીને દુઆ કરશે. સદા રહેજો બાકી સલામત એ મૌલા, હજારો વરસ એમ દુઆ છે હમારી.

હીઝ હોલીનેશ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ)એ ખાસ ફરમાન કરેલ છે કે દરેક સમાજના લોકો ઘરેજ રહે, ઘરે રહીને નમાજ- ઈબાદત કરે લોકડાઉનનો સરકારશ્રી તરફથી બહાર પડતા નિયમોનું ચુસ્ત રીતે પાલન કરો ખુદા તઆલા આ મહામારી માથી જલ્દી શીફા થઈ જાય તેવી દુઆ કરેલ છે. તેમ શેખ યુસુફભાઈ જોહરકાર્ડસવાળાએ જણાવ્યું હતું.

(11:27 am IST)