Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

'સંતુષ્ટિ'ના CEO ભાવેશભાઇનો જન્મ દિન

રાજકોટ તા. ૧૩ : લોકપ્રિય બ્રાન્ડ સંતુષ્ટિના CEO ભાવેશભાઇ ચેલાણીનો આજે જન્મ દિવસ છે. સંઘર્ષ કરીને વિશ્વખ્યાત બ્રાન્ડ સર્જનાર ભાવેશભાઇનો જન્મ ૧૩-મૈ-૧૯૮ર ના દિને થયો હતો.

નમ્રભાવી, સ્વપ્રેરિત, સ્વ.પ્રારંભિક અને ઉદ્યમી, એવા ભાવેશ ચેલાણી, સંતુષ્ટિ શેઇકસ પ્રાઇવેટ લીમીટેડના મેનેજીંગ  ડાયરેકટર અને સી.ઇ.ઓ.છે. તેઓ બહુપરીમાણીય વ્યકિતત્વ ધરાવે છે.

૧૩ વર્ષની વયે મધર ડેયરીમાં કામદાર તરીકે કાર્ય કરી એક વિશાળ ડેયરી સ્થાપિત કરવાનું સ્વપ્ન કંડાર્યુ હતું. શિક્ષણ ક્ષેત્રે નાની વયથીજ કુશળ અને વર્ષોવર્ષ ઉતીર્ણ તેઓ રર વર્ષે સફળ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બન્યા અને ભારત વર્ષમાં ખ્યાતિ પ્રાપ્ત કરી. ત્યારબાદ રાષ્ટ્રીય અને  આંતર રાષ્ટ્રીય સ્તરે પોતાના વ્યાવસાયિક કૌશલ્યતા ઘણી સંસ્થાઓને આપી.

તેઓ એક ચિત્રકારનો શોખ ધરાવવાની સાથે સાથે ખૂબ સારા ગાયક પણ છે સંત નિરંકારી મીશનમાં આધ્યાત્મિક ક્ષેત્રે અને સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન સાથે સામાજિક ક્ષેત્રે તેઓ સમાજમાં વિવિધ ક્ષેત્રે પોતાની સેવાઓ અર્પિત સમર્પિત કરતા હોય છે. પોતાની વ્યૂહાત્મક કુશળતા સાથે પોતાની કંપની થકી ગરવી ગુજરાતનું ગૌરવ  વિશ્વભરમાં ફેલાવવાનું સ્વપ્ન સેવે છે. રાજકોટની કર્મભૂમિના રૂણી એવા ભાવેશ ચેલાણી માટે માતા-પિતાના આશિર્વાદ અને તેમની મમત્વ તેમના માટે સદાય પ્રેરણાસ્ત્રોત છે. જન્મદિને ભાવેશભાઇ (મો.૯૯૦૪૪ ૪૪૪પ૭) પર અભિનંદન વરસી રહ્યા છે.

(2:54 pm IST)