Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

જેતપુર લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ વસાણીનો જન્મ દિવસ

નવાગઢ, તા. ૧૨ :. જેતપુર લોહાણા સમાજના મોભી જયંતીભાઈ વસાણીનો આજે જન્મ દિવસ છે.

જેતપુર લોહાણા મહાજન શ્રી રઘુવંશી શરાફી મંડળી જેવી સમાજની અનેકો સંસ્થામાં પોતાના અનુભવનો નિચોડ પીરસી ધમધમતી રાખનારને અનેકો જરૂરીયાતમંદ લોહાણા બંધુઓના ભરપેટ આશિર્વાદ મેળવનાર જયંતીભાઈ હાલ પોતાના મસમોટા બીજનેશમાંથી પણ વધારે સમય ફાળવી લોહાણા સમાજની વિકટ સમસ્યા જીવનસાથી પસંદગી સમી નિઃશુલ્ક મેરેજ બ્યુરો ચલાવી રહ્યા છે ને વર્ષો-વર્ષ પરીચય મેળાનું આયોજન હાથ ધરી રહ્યા છે. સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડનાર જયંતીભાઈના જીવનમાં તેમના ધર્મપત્ની શ્રીમતી જયશ્રીબેને ભારે જોમ ભર્યુ છે. સૌજન્ય સ્નેહ અને સહકાર દ્વારા સિદ્ધિઓના સરવાળા કરવામાં માહીર શ્રી વસાણીને તેમના જન્મદિનની મો. ૯૩૭૭૭ ૨૦૬૮૪ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(3:36 pm IST)