Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

દાઉદ વ્હોરા ધર્મગુરૂના નાનાભાઇનો કાલે જન્મદિન

જસદણ, તા. ર૩ :  દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂના નાનાભાઇ કુસૈયાભાઇ સાહેબ શનિવારે પોતાની જીવનયાત્રાના ૬૬માં વર્ષમાં પ્રવેશ કરતાં હોવાથી તેમના પરિવાર અને દઅવતે હાદિયામાં ઉમંગની છોળો ઉઠી છે. હીજરીસન ૧૩૭૩, ૮ મી રજબના દિવસે જન્મેલાં કુસૈયભાઇ સાહેબ લોકોની સેવાકાજે વિદ્યાર્થી અવસ્થથી દેશ દેશાવરનો પ્રવાસ કરી સમાજના લોકોને મદદરૂપ બની રહ્યાં છે. કુસૈયભાઇ સાહેબએ ઉચ્ચ શિક્ષણ મેળવી દાઅવતના જુદા જુદા ખાતાઓમાં એક લડાયક સૈનિક જેવી ચપળતાથી કામ કરી સમાજમાં જબરૂ પ્રદાન. આપ્યું છે. આના કારણે સમાજ પ્રગતિશીલ રહ્યો છે.

(11:53 am IST)