Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

વકતવ્યની રીત, હૈયામાં પ્રિત

જ્ઞાનનો દીપક પ્રગટાવતા કથાકાર અનિલપ્રસાદ શાસ્ત્રીનો જન્મદિન

રાજકોટ :. ભીતરથી સ્વસ્થ, ભાવથી ભરપુર, પ્રસ્તૃતિમાં પારંગત, ધૈર્યનું ધામ, વિચારોથી સજ્જ, શ્રોતાઓની નાડ પારખનાર સુપ્રસિદ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદ જોષી આજે પષ્ટિપૂર્તિ વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે (જન્મ તા. ૧૫ માર્ચ ૧૯૫૯)

જસદણ પંથકના ઝુંડાળા ગામના મૂળ વતની શ્રી અનિલપ્રસાદ જોષી શ્રીમદ્દ ભાગવત, રામાયણ અને શિવ મહાપુરાણના પ્રખર વકતા છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ જાણકાર છે. તેઓ કથામાં મૂળ વિષય વસ્તુ સાથે સમાજ જીવનના વર્તમાન મુદ્દાઓને આવરી લઈને લોકશિક્ષણનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.

મો. ૯૯૧૩૫ ૩૦૦૪૭ - રાજકોટ

(11:39 am IST)