Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

બ.સ.પા.ના સંસ્થાપક કાંશીરામજીનો કાલે જન્મદિન

રાજકોટમાં સંગઠન સમીક્ષા દિન તરીકે ઉજવાશે

રાજકોટ, તા. ૧૪ : આવતીકાલે તા.૧૫ને ગુરૂવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક અને બહુજન મહાનાયક માન્વર કાશીરામ સાહેબનો ૮૪મો જન્મદિવસ ''સંગઠન સમીક્ષા દિવસ''ના રૂપમાં ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પરીસર, સિવિલ હોસ્પિટલ પાસે, રાજકોટ ખાતે ઉજવવામાં આવશે.

ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે મોહનભાઈ રાખૈયા (બ.સ.પા. પ્રદેશ મહાસચિવ અને સૌરાષ્ટ્ર ઝોન - રાજકોટ કોર્ડીનેટર) ઉપસ્થિત રહેશે. બ.સ.પા. સમર્થકો, હોદ્દેદારો, બામસેફ, સામાજીક સંગઠનોના લીડરોને ઉપસ્થિત રહેવા રાજકોટ જીલ્લાના પૂર્વ પ્રમુખ શ્રી દિનેશ પડાયાની યાદીમાં જણાવાયું છે.

(5:05 pm IST)