Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

જેતપુર શ્રીસ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.નિલકંઠચરણ સ્વામીનો જન્મદિન

જુનાગઢ તા.૧૩: શ્રીસ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન તિર્થધામ જેતપુરના કોઠારી પુ નિલકંઠચરણ દાસસ્વામીનો આજે ૫૯મો જન્મદિવસ છે.

તા.૧૩-૩-૧૯૫૯ના રોજ જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલ અને બાળપણથીજ ભકિતમય જીવન વિતાવીને જેતપુર શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદીસ્થાન તિર્થધામના કોઠારી સદગુરૂશ્રી હરજીવનસ્વામી પાસે દિક્ષા લીધીને સન્યાસી જીવન સ્વીકારકરીને ધર્મની ધરા સંભાળી દિવસ રાત ભજન કિર્તન કથા સત્સંગ કરી હરિભકતોને ભગવાનમય બનાવ્યોને સદગુણી બનાવવાના ધ્યેય સાથે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના નામાંકિત સર્વશ્રેષ્ઠ સંતના શિખર પર બિરાજમાન છે.

પુ સ્વામી જેતપુર ઉપરાંત શ્રી સ્વામિનારાયણ મહામંત્ર ધામ ફરેણી તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુજ સુરતના મુખ્યકોઠારી તરીકે કાર્યબાર સંભાળી રહ્યા છે.

આજે પુ નિલંકઠ ચરણ સ્વામીના ૫૯માં જન્મદિન નિમીતે સુરત શ્રી સ્વામિનારાયણ મિશન લસકાણામાં તેમના ભકતો દ્વારા ભાવભેર ધુન ભજન કિર્તન કથા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે અને તેમના આયુષ્ય દિધાર્યુ બને તેમજ તેમના દ્વારા સત્સંગનો વ્યાપ વધતો રહે તેવી હરિભકતો દ્વારા પ્રાથર્ના થઇ રહી છે પુ નિલકંઠ સ્વામીને મો.નં.૯૩૭૭૭ ૧૩૩૫૯ ઉપર સંતો અને હરિભકતો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:12 pm IST)