Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

પ્રદેશ ભાજપ કારોબારી સદસ્‍ય દિનેશભાઈ અમૃતિયાનો જન્‍મદિવસ

જુનાગઢ,તા.૨૦: ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કારોબારી અને ઉમા ધામ સિદસરના કારોબારી સભ્‍ય દિનેશભાઇ અમૃતિયાનો મંગળવારે જન્‍મદિવસ છે. મૂળ ભાયાવદરના અને ઘણા વર્ષોથી રાજકોટને કર્મભૂમિ બનાવી સમગ્ર સૌરાષ્‍ટ્ર- ગુજરાતનાં જાહેર જીવનમાં અનેકવિધ પ્રવળતિઓ થકી ઉચ્‍ચ સ્‍થાન પ્રાપ્‍ત કરેલ સૌરાષ્‍ટ્ર જાણીતા અને પેરેડાઈઝ હોલના માલિક દિનેશભાઇ અમૃતિયાનો મંગળવારે ૬૬ મો જન્‍મદિવસ છે. સૌરાષ્‍ટ્ર-ગુજરાતની અનેક સેવાકીય, સાંસ્‍કળતિક, ધાર્મિક, શૈક્ષણિક, મેડિકલ અને જ્ઞાતિ સંસ્‍થાઓ સાથે તન- મન- ધનથી સંકળાયેલા દિનેશભાઇ સમગ્ર ભારતના અને વૈશ્વિક સ્‍તરે જાહેર જીવનના આગેવાનો સાથે નિકટનો ધરોબો ધરાવે છે. દિનેશભાઇ તેમનો ૬૬મો જન્‍મદિન પરિવારજનો- શુભેચ્‍છકો સાથે ઉજવી રહ્યા છે ત્‍યારે જાહેર જીવનના શ્રેષ્‍ઠિઓ, સંતો, મહંતો, જ્ઞાતિના આગેવાનો સહિતના સૌએ તેમણે ખૂબ શુભેચ્‍છાઓ પાઠવી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટિલ,  પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકકરાર,  કેબિનેટ મંત્રીઓ નરેશભાઇ પટેલ, જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, મનસુખભાઇ ખાચરીયા,જેરામભાઈ વાંસઝાળીયા, નાથાભાઈ કાલરીયા, કાંતિભાઈ માકડીયા અનેકો શ્રેષ્‍ઠિઓએ તેમને અભિનંદન પાઠવ્‍યા છે. મો.૯૮૨૫૨ ૨૮૫૪૮ 

(4:12 pm IST)