Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રાજકોટ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી હરિવલ્લભદાસનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૭ :. રાજકોટ ભૂપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી હરિવલ્લભદાસજીનો આજે ૬૬મો જન્મ દિવસ છે.

અગાઉ જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી તરીકે સેવા આપી ચુકેલ અને રાજકોટ મંદિરમાં પણ અનેક વિકાસના કામો અને સેવાકીય પ્રવૃતિ કરનાર અને હાલ હરિદ્વાર સ્વામીનારાયણ આશ્રમ ઉતરાખંડના કોઠારી તરીકે સેવા આપતા પ.પૂ. હરિવલ્લભદાસજી આજે ૬૫ વર્ષ પુરા કરી ૬૬માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે સાધુ-સંતો અને હરિભકતો તેમના મો. ૯૮૭૯૬ ૧૫૫૫૧ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:49 pm IST)