Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રાજકોટ બાર એસો.ના પૂર્વ હોદેદાર એડવોકેટ સિધ્ધરાજસિંહનો જન્મદિવસ

રાજકોટ, તા. ર૨ : બાર એસોસીએશનનાં પૂર્વ હોદ્દેદાર અને ક્ષત્રિય અગ્રણી ધારાશાસ્ત્રી સિધ્ધરાજસિંહજી કે. જાડેજાનો આજે જન્મદિવસ છે.

રાજકોટ બાર એસોસીએેશનના પૂર્વ હોદ્દેદાર અને ક્ષત્રિય સમાજનાં અગ્રણી ધારાશાસ્ત્રી સિધ્ધરાજસિંહજી કે. જાડેજાનો જન્મ રર-સપ્ટેમ્બર -૧૯૭રના રોજ વાંકાનેર મુકામે થયો હતો. રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવી માસ્ટર ઓફ લો સુધીનો અભ્યાસ કરી સને ૧૯૯૭ ની સાલથી વકીલાતની શરૂઆત કરેલ.

રાજકોટનાં વિવિધ વકીલ મંડળમાં હોદ્દેદાર તરીકે ચૂંટાયા હતાં અને લબ્ધ પ્રતિષ્ઠત રાજકોટ બાર એસોસીએશનમાં વિવિધ હોદાઓ ઉપર ચુંટાઇ આવી વકીલો માટે પ્રશંસનીય અને ઉત્કૃષ્ઠ કામગીરી કરેલ છે. સિધ્ધરાજસિંહજી કે. જાડેજા વિવિધ બેન્કોનાં લીગલ એડવાઇઝર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવે છે. અને ફોજદારી કાયદાના નિષ્ણાંત વકીલ તરીકે સમાજમાં ઓળખાય છે. ''બાપુ''ના હુલામણા નામેથી ઓળખાતા સિધ્ધરાજસિંહજી કે. જાડેજાને મિત્ર-વર્તુળ, શુભેચ્છકો અને સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ધારાશાસ્ત્રીઓ તરફથી તેમના મો. નં. ૯૮ર૪૦ ૯૪ર૧૯ માં જન્મદિવસે શુભેચ્છા સાથે શુભકામના ઉપર પાઠવી રહેલ છે.

(12:54 pm IST)