Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

આજે શુકનવંતી અક્ષયતૃતીયા : પ્રખર ધારાશાસ્ત્રી કમલેશ શાહનો જન્મદિન

રાજકોટ, તા. ૧૮ :  રાજકોટ-સૌરાષ્ટ્રના જાહેર જીવનના ઝમકતા-ધબકતા વ્યકિતત્વ કમલેશ શાહ અતિગતિની પ્રગતિ સાથે સામાજમાં માભાનું સ્થાન ધરાવે છે. જેમ  લીમડો ભલે તેમ ન્યાય વર્તુળમાં જાણીતા કમલેશ શાહ ખુબ ભલા છે.

સદાય હસમુખા પર્વતરોહક, પક્ષીપ્રેમી, તેમજ ન્યાયપ્રિય જાણીતા ધારાશાસ્ત્રી કમલેશ નટવરલાલ શાહ આજે તેના યશસ્વી જીવનના પ૪ વર્ષ પૂર્ણ કરી પપમાં વર્ષમાં પ્રગતિશીલ જીવનમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

પ્રખર ધારાશાસ્ત્રી સ્વ. નટવરલાલ શાહના સુપત્ર કમલેશ શાહે પિતાના પગલે વકીલાત ક્ષેત્રે નવા આયામો હાંસલ કર્યા છે. કોઇપણ વ્યકિત કે કોઇ જીવને મદદરૂપ થવા ઉત્સુક રહેતા કમલેશ શાહ એક ઉમદા આદર્શ વ્યકિત તરીકે ઉભરી રહ્યા છે. ક્રિમીનલ ઉપરની રેવન્યુ, સિવિલ, એમએસીટી ક્ષેત્રે પ્રેકટીસ કરતા કમલેશ શાહ અનેક સામાજીક-ધાર્મિક, શૈક્ષણિક સંસ્થામાં સેવા આપે છે.

રાજકોટ-સૌરાષ્ટ્રમાં પ્રથમ હરોળના વકીલ ગણાતા કમલેશ-શાહ અનેક વિધ સામાજીક શૈક્ષણિક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ભાજપ અને જૈને સમાજમાં મોખરાનું સ્થાન ધરાવે છે કમલેશ શાહના જન્મદિને મો. ૯૯૯૮ર ૧૮૯૩ર ઉપર શુભેચ્છા વર્ષા  થઇ રહી છે.

(12:55 pm IST)