Gujarati News

Gujarati News

News of Thursday, 12th April 2018

મહિલા બાળ કલ્યાણ નિયામક મનીષા ચંદ્રાનો જન્મદિન

રાજકોટ કલેકટર તરીકે યાદગાર પારદર્શક વહીવટ

રાજકોટ :. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગમાં આઈ.સી.ડી.એસ. નિયામક તરીકે ફરજ બજાવતા શ્રીમતી મનીષા ચંદ્રાનો જન્મ તા. ૧૨ એપ્રિલ ૧૯૭૮ના દિવસે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૪૧ વર્ષના દ્વારે કદમ માંડયા છે.

મૂળ ઉત્તર પ્રદેશના અલ્હાબાદના વતની શ્રીમતી મનીષા ચંદ્રા ૨૦૦૪ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ખેડા જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલ અને રાજકોટમાં જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર યશસ્વી કામગીરી કરી ચૂકયા છે. રાજકોટમાં તેમણે હકારાત્મક અભિગમથી ચલાવેલ પારદર્શક વહીવટને લોકો આજેય યાદ કરી રહ્યા છે.

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૩૩૦૫ મો. ૯૯૭૮૪ ૦૫૯૫૬ - ગાંધીનગર

 

(10:56 am IST)