Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ગ્રેટર ચેમ્બરના પૂર્વ કોષાધ્યક્ષ અને જૈન અગ્રણી કિશોરભાઇ કોરડીયાનો જન્મદિન

રાજકોટ તા. ૧ : સમસ્ત વિશાશ્રીમાળી જૈન સમાજના પૂર્વ પ્રમુખ તેમજ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ કોષાધ્યક્ષ કિશોરભાઇ કોરડીયાનો આજે જન્મ દિવસ છે. જીદવયા, ધાર્મિક, સામાજીક પ્રવૃત્તિઓ દ્વારા સારી નામના હાંસલ કરનાર કિશોરભાઇ જૈફ ઉમરે પણ જીવદયા ફંડ માટે અન્ન જળ ત્યાગનું વ્રત રાખે છે. ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની એવોર્ડ, આશીર્વાદ એવોર્ડ હાંસલ કરનાર કિશોરભાઇનું પૂ. પ્રમુખ સ્વામી, દાનવીર ભામાશા દિપચંદભાઇ ગારડી, રેલ્વે પ્રધાન જયોર્જ ફર્નાન્ડીસ, પૂર્વ પ્રધાન કેશુભાઇ પટેલ, નરેન્દ્રભાઇ મોદી, વિજયભાઇ રૂપાણી, પૂર્વ સાંસદોના હસ્તે સન્માન થઇ ચુકયુ છે. આજે જન્મ દિવસ નિમિતે તેઓને મો.૯૮૨૫૦ ૭૪૭૭૧ ઉપર ઠેરઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(2:41 pm IST)