Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જામનગર લોહાણા સમાજના અગ્રણી સુલોચનાબેન તન્નાનો જન્મદિન

જામનગરઃ લોહાણા સમાજના અગ્રણી સુલોચનાબેન વિનુભાઇ તન્નાનો આવતીકાલે જન્મદિન છે.

તેમનો જન્મ તા.૩-૩-૧૯૪૦ના રોજ થયો. ૮૧ વર્ષ પુરા કરી ૮રમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓશ્રી લોહાણા મહિલા સેવા સમાજમાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સંનિષ્ઠ સેવા આપે છે. શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં કારોબારી સભ્ય તરીકે શ્રી સર્વોદય મહિલા મંડળના પ્રમુખ તરીકે સેવા આપે છે.

બહેનો અને બાળકોનો સર્વાગી વિકાસ થાય એ હેતુથી ૧૯૭પમાં લોહાણા મહિલા સેવા સમાજની સ્થાપના કરી, સંસ્થા દ્વારા સિલઇા શીખેલા અને જરૂરીયાત મંદ બહેનોને ફકત રૂ. પ૦૦ માં ઘરે સિલાઇ મશીન અપાય છે. આજ દિવસ સુધી પપ૦૦ થી વધારે બહેનોને ઘરે સિલાઇ મશીન આપીને બહેનોને પોતાના કુટુંબને આર્થીક મદદ કરતા કર્યા છે. તેમજ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ દર વર્ષે કરવામાં આવે છે. તેમજ દર વર્ષે લોક અદાલતમાં કંસીલેટર તરીકે સેવા આપે છે. તેમને જન્મદિનની એડવાન્સ શુભેચ્છા તેના મો. ૯૯૭૮પ ૧૦૯૬૯ ઉપર મળી રહી છે.

(11:40 am IST)