Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

અનવરભાઈ દારૂવાલાનો આજે જન્મદિવસઃ બાવનમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ અહિંના રામનાથપરા કરીમપુરા મેમણ જમાતના પૂર્વ પ્રમુખ અનવરભાઈ એ.કે. દારૂવાલાનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે અને તેઓ દ્વારા દરેક જ્ઞાતિમાં દવાખાના કે કાયદાકીય બાબત તથા સામાજીક ક્ષેત્રે સેવા આપીને લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને દરેક સમાજમાં તેઓનું આગવુ સ્થાન છે. સંસ્કારી અને સામાજીક રીતે નામના ધરાવતા પરિવારમાં અનવરભાઈ દારૂવાલાનો જન્મ થયો છે. તેઓ જીવનના ૫૧ વર્ષ પૂર્ણ કરી ૫૨માં વર્ષમાં પ્રવેશી રહ્યા હોય અભિનંદનવર્ષા થઈ રહી છે.

(4:34 pm IST)