Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

શહેઝાદા વજીહુદ્દીન સાહેબનો ૬૯મો જન્મદિન

રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝહોલીનેશ ડો.સૈયદના મોહંમદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના શહેજાદા આલી વકાર કુસઈભાઈ સાહેબ (દા.મ.)નો આજે ૬૯મો જન્મ દિવસ છે. શહેઝાદા સાહેબ ઈદારત ઝાકેરીનના હેડ છે. મુંબઈ જમાયત અંજુમને શીયાતેઅલીના પ્રેસીડન્ટ છે. ઈસ્ટ આફ્રીકા, સાઉથ ઈન્ડિયા અને ફાર ઈસ્ટ જમીઅતના સ્પે.રી પ્રેજન્ટેટીવ છે. અનેક વખત અમીરૂલ હજ તરીકે પધારેલ છે. તેઓ ત્રેપનમાં દાઈ આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ)ના નાનાભાઈ સાહેબ છે. વિશ્વભરમાંથી વ્હોરા સમાજના લોકોએ મુબારક બાદી આપેલ છે. તેમ શેખ યુસુફભાઈ જોહરકાર્ડવાલાએ જણાવ્યું છે.

(3:59 pm IST)