Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

એડવોકેટ શ્‍યામ ગોહિલનો આજે જન્‍મ દિવસ : ૪૩ પુરા કર્યા

રાજકોટ : સુરેન્‍દ્રનગર જીલ્લાના ચુડામાં ર૦/૧/૧૯૮૦ ના રોજ જન્‍મેલ શ્રી શ્‍યામ જે. ગોહિલનો આજે ૪૩ મો જન્‍મ દીવસ છે આજે ૪ર મુ વર્ષ પુરૂ કરશે.

સુરેન્‍દ્રનગર જીલ્લાના અલગ અલગ તાલુકામાં પોલીસ કર્મચારી તરીકે નોકરી કરી ગયેલ તેવા શ્રી જે.જે.ગોહિલના પુત્ર શ્‍યામ જે. ગોહિલ કે જેઓએ ર૦૦૦ ની સાલમાં સુરેન્‍દ્રનગરમાં એડવોકેટ એસ.કે.મલેક સાથે પ્રેકટીશની શરૂઆત કરેલ અને ત્‍યાર બાદ ચોટીલાના સીનીયર ધારાશાષાી એન.એ.ખાચર સાથે ટુંકા સમયની પ્રેકટીશ કરેલ અને ત્‍યાર બાદ પીતા ર૦૦ર ના રીટાયર્ડ થતા તેઓ રાજકોટમાં સ્‍થાયી થતા ર૦૦રમાં શ્રી આર.કે.પટેલ એડવોકેટ સાથે પ્રેકટીશ કરેલ અને ત્‍યારબાદ તેઓએ ર૦૦૬માં પોતાની સ્‍વતંત્ર પ્રેકટીશ શરૂ કરેલ અને ત્‍યાર બાદ અત્‍યાર સુધીમાં તેઓએ ખુબ પ્રગતિ કરે કલેઇમક્ષેત્રમાં ઘણાજ કેશોનો નીકાલ કરેલ. છેલ્લે ૧૧/૧ર/ર૦ર૩ના રોજ તેઓએ કુલ૯પ કેશોનો નીકાલ લાવી તેમના અસીલોને રૂા.૬,૦૦,૦૦૦-૦૦ છ કરોડનું જંગી વળતર અપાવી કલેઇમમાં ખુબજ નામના મેળવેલ. તો આવો શ્રી જે. જે. ગોહિલ તથા માતા પ્રભાબેનના પુત્ર શ્રી શ્‍યામ જે. ગોહિલને તેમના જન્‍મ દિવસે તેમને જન્‍મ દિવસની શુભકામના આપીએ. ૯૯ર૪૪ ૬ર૦૪૦, ૮૪૦૧૬ ૭ર૩રર

(3:30 pm IST)