Gujarati News

Gujarati News

News of Monday, 16th January 2023

સુરેન્‍દ્રનગર જીલ્લાના દૂધઇના મેઘ મંડલેશ્વર ડો. પૂ. રામબાપુનો આજે જન્‍મ દિવસ

ભાવનગર તા. ૧૬ :.. મુળી (ઝાલાવાડ) પાસે દૂધઇ વડવાળા દેવની જગ્‍યાના મેઘ મંડલેશ્વર અને કથાકાર ડો. પૂ. રામબાલકદાસજી મહારાજ (સદ્‌્‌ગુરૂ પુરણદાસબાપુ) નો આજે સોમવાર તા. ૧૬-૧-ર૦ર૩ ના જન્‍મ દિન છે. દૂધ, દીલેરી અને દરીયાવ અભિગમ ધરાવતા વાચસ્‍પતી પૂ. રામબાપુ અત્‍યંત સારા રામકથાના વકતા છે. તેઓને સાંભળવા મળવું જીવનનો અનન્‍ય લ્‍હાવો છે. વિશાળ ફલક પર પથરાયેલા શીષ્‍ય સમુદાય અને બહોળા મીત્ર વર્તુળ ધરાવતા રામબાપુને જન્‍મોત્‍સવની રળીયામણી ઘડીએ મો. ૯૮રપર ૩૭૧૦૮ ઉપર વધાઇ પ્રાપ્ત થઇ રહેલ છે.

(10:45 am IST)