Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

નિવૃત સનદી અધિકારી અનુરાધા મલ્લનો જન્મદિન

રાજકોટઃ સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન (સ્પીપા)ના મહાનિયામક પદેથી ગયા વર્ષે નિવૃત થયેલા આઇએએસ (૧૯૮૯) કેડરના અધિકારી શ્રીમતી અનુરાધા મલ્લનો જન્મ તા. ૩૦ નવેમ્બર ૧૯૬૦ના દિવસે થયેલ આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ સાથે સેવા નિવૃત થઇ રહયા છે. તેણી મુળ આણંદ પંથકના સોજીત્રાના વતની છે. અગાઉં મહિલા આર્થીક વિકાસ નિગમના એમ.ડી.ખાતાકીય તપાસ અધિકારી ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સી.ઇ.ઓ. વગેરે સ્થાનો પર રહી ચુકયા છે. હાલ નિવૃતીમાં તેઓ સમાજ ઉંપયોગી વિવિધ પ્રવૃતિઓમાં પ્રવૃત છે. મો.૯૯૭૮૪ ૦પ૩૬૭ અમદાવાદ.

 

(11:37 am IST)