Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના પ્રાધ્યાપક ડો. પ્રિતેશ પોપટનો આજે જન્મદિન

રાજકોટઃ રઘુવંશી સમાજના અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ કાર્ય ભવનના વરિષ્ઠ પ્રધ્યાપક ડો.પ્રિતેશ પોપટનો આજે જન્મદિન છે. તેઓ ૩૭ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.   શ્રી લાલભાઈ પોપટ અને શ્રીમતી દક્ષાબેન પોપટના પુત્ર એવા ડો.પ્રિતેશ બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના   સ્વયંસેવક રહેલ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના માધ્યમથી વિદ્યાર્થી પ્રવૃતિઓના માધ્યમથી જાહેર જીવનમાં પદાર્પણ કરનાર ભાઈ પ્રિતેશે વર્તમાન યુવા ભા.જ.પ.માં રાજકોટ શહેર વિધાનસભા—૬૯ ના આઈ.ટી.સોશ્યલ મીડીયા સેલના ઈન્ચાર્જ તરીકે  સેવા આપી રહયા છે. માધવ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ગુર્જર ભારતી સંવાહક, શ્રી બાલમંકુંદ સેવા સંસ્થાન, સ્વામી વિવેકાનંદ યુવક મંડળ, નવજીવન ડેવલપમેન્ટ સેન્ટર (મહેસાણા) તેમજ આંતરરાષ્ટ્રીય સંયુકત રાષ્ટ્ર સંઘ સંતુલિત કાર્યક્રમોમાં જવાબદારીઓ વહન કરેલ છે. મો.૯૮૨૪૫ ૭૭૨૨૯

(11:29 am IST)