Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

વાંકાનેરના પત્રકાર-મુસ્લિમ સમાજના અગ્રણી મહમદભાઇ રાઠોડનો જન્મદિન

વાંકાનેર તા. ર૪ :.. વાંકાનેરના મુસ્લિમ સમાજના આગેવાન, સીનીયર પત્રકાર અને શાહબાવા ટ્રસ્ટના ડાયરેકટર તથા કસ્બા જુમાત કબ્રસ્તાનના પ્રમુખ અને પૂર્વ સદસ્ય, નગરપાલીકા વાંકાનેર તેમજ ૧૯૮૦ થી રાજકોટ પ્રસિધ થતા દૈનિક અખબાર અકિલાના પીઢ પ્રતિનિધી અને વિક્રેતા મહંમદભાઇ આર. રાઠોડ (ઘાંચી) નો આજે જન્મ દિવસ છે.

દેશ આઝાદ થયાના વર્ષ ૧૯૪૭ માં, અર્થાત તા. ર૪-૧૧-૪૭ ના રોજ જન્મ થયો હતો. શ્રી રાઠોડ આજે ૭૩ વર્ષ પુરા કરી સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે ૭૪ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે શ્રી રાઠોડને અનેક સામાજિક સંસ્થાઓ અને રાજકીય અગ્રણીઓ દ્વારા શુભેચ્છઓ વ્યકત કરાઇ રહી છે. તેઓનો મોબાઇલ નંબર છે, ૯રર૮પ ૬ર૪ર૬, ૬૩પરપ ૦૬૧૦ર

(11:56 am IST)