Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

લોકોના દિલમાં હંમેશા બિનહરીફ એડવોકેટ કમલેશ શાહનો જન્મદિન

રાજકોટ, તા. ૧૮ :  રાજકોટ-સૌરાષ્ટ્રના જાહેર જીવનના ઝમકતા-ધબકતા વ્યકિતત્વ કમલેશ શાહ અતિગતિની પ્રગતિ સાથે સામાજમાં મોભાનું સ્થાન ધરાવે છે. જેમ  લીમડો બારેમાસ ભલો તેમ ન્યાય વર્તુળમાં જાણીતા કમલેશ શાહ ખુબ ભલા છે.

સદાય હસમુખા પર્વતરોહક, પક્ષીપ્રેમી, તેમજ ન્યાયપ્રિય જાણીતા ધારાશાસ્ત્રી કમલેશ નટવરલાલ શાહ આજે તેના યશસ્વી જીવનના પ૫ વર્ષ પૂર્ણ કરી પ૬માં વર્ષમાં પ્રગતિશીલ જીવનમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

પ્રખર ધારાશાસ્ત્રી સ્વ. નટવરલાલ શાહના સુપત્ર કમલેશ શાહે પિતાના પગલે વકીલાત ક્ષેત્રે નવા આયામો હાંસલ કર્યા છે. કોઇપણ વ્યકિત કે કોઇ જીવને મદદરૂપ થવા ઉત્સુક રહેતા કમલેશ શાહ એક ઉમદા આદર્શ વ્યકિત તરીકે ઉભરી રહ્યા છે. ક્રિમીનલ ઉપરાંત રેવન્યુ, સિવિલ, એમએસીટી ક્ષેત્રે પ્રેકટીસ કરતા કમલેશ શાહ અનેક સામાજીક-ધાર્મિક, શૈક્ષણિક સંસ્થામાં સેવા આપે છે.

રાજકોટ-સૌરાષ્ટ્રમાં પ્રથમ હરોળના વકીલ ગણાતા કમલેશ-શાહ અનેક વિધ સામાજીક શૈક્ષણિક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ભાજપ અને જૈન સમાજમાં મોખરાનું સ્થાન ધરાવે છે કમલેશ શાહના જન્મદિને મો. ૯૯૯૮ર ૧૮૯૩ર ઉપર શુભેચ્છા વર્ષા  થઇ રહી છે.

કમલેશભાઈ શાહનો આજરોજ ૫૬ મો જન્મદિવસ છે. તા.૧૮/૦૪/૧ં૯૬૪ના રોજ જન્મેલા કમલેશભાઈ શાહ સૌરાષ્ટ્રના કાયદા નિષ્ણાંત વકીલ છે. રાજકોટ- સૌરાષ્ટ્રના અનેક ચકચારી કેસોમાં તેમણે પ્રખર કાયદા શાસ્ત્રી તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવેલ છે. રાજકોટ બાર એસોસીએશનમાં પ્રચંડ બહુમતિથી જીતી ઉપપ્રમુખ તરીકે અત્યંત સફળતાપૂર્વક કાર્ય કરેલા છે. તેમના પિતાશ્રી સ્વ.નટવરલાલ શાહ તરફથી વકીલાત અને તેની તમામ બારીકાઈઓ ગળથુથીમાં મળેલ છે. રાજકોટ ખાતે ''શાહ એન્ડ શાહ એડવોકેટસ''નું તેમના ભાઈ એડવોકેટ જીજ્ઞેશભાઈ શાહ સાથે સફળતાપૂર્વક સંચાલન કરી રહયાં છે.

કમલેશભાઈ જૈન સમાજના અગ્રણી છે. સાધુ- સાધ્વીઓની વૈયાવચ્ચ હંમેશા તેમને હૈયે હોય છે. અજરાઅમર ઉપાશ્રયના તેઓ માનદ ટ્રસ્ટી છે. અખિલ ભારતીય જૈન લીગલ ફોરમના કન્વીનર છે. અનેક દેરાસર- ઉપાશ્રય તેમજ અનેક સામાજીક સંસ્થાઓના તેઓ લીગલ એડવાઈઝર છે. હર હંમેશ જીવદયાપ્રેરક કાર્યોમાં વ્યસ્ત રહે છે. જીવદયા સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈનના તેઓ ટ્રસ્ટી છે. સૌરાષ્ટ્રની અનેક પાંજરાપોળ- ગૌશાળાના જીવદયાને લગતા કેસો હરહંમેશા નિઃશુલ્ક લડી અદકેરી સેવા કરે છે અને હજારો અબોલ જીવોને બચાવવામાં નિમીત બન્યા છે. વકીલાતની અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ પોતાના વાઈલ્ડ લાઈફ ફોટાગ્રાફીના શોખને તેમણે જીવંત રાખ્યો છે. અત્યંત સ્ફુર્તિ- ચુસ્તી ધરાવતા કમલેશભાઈ ખૂબ જ સાહસીક ટ્રેકર છે. તેમજ ''સિંહ પ્રેમી'' તરીકેની તેમની આગવી ઓળખ છે. પૂ.રાજેશમુનીના ચુસ્ત અનુયાયી છે. એડવોકેટ કમલેશભાઈ શાહનો મો.૯૮૨૫૨ ૯૩૨૭૮ ઉપર સગા- વ્હાલા તેમજ મિત્ર સર્કલની અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(12:23 pm IST)