Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

સુરત મહા મંગલપુરી ધામના આચાર્ય પૂ. સૂર્યનારાયણ મહારાજનો જન્મદિવસ

ભાવનગર તા.૧૦: સુરતના સૈયદવાડામાં આવેલ મહા મંગલપુરી ધામ શ્રી કૃષ્ણ પ્રણામી મોટા મંદિરના આચાર્ય પૂ. શ્રી સૂર્યનારાયણજી મહારાજનો આજે બુધવાર તા. ૧૦ ના જન્મ દિવસ છે.

આચાર્ય સૂર્યનારાયણ મહારાજે આદિવાસીઓના ઝુંપડાથી લઇને અમેરિકાની ઇમારતો સુધી જ્ઞાનરૂપી અમૃતનું સિંચન કર્યું છે.

ભારતીય સંસ્કૃતિની ધ્વજા નિરંતર ફરકે અને ફફડે નહીં એ માટે રાત્રી-દિન જોયા વગર સંસ્કૃતિનાં વ્યાપ માટે ભગિરથ પ્રયાસો કરી રહ્યા છે. તેમને ફોન (૦૨૬૧) ૨૪૨૪૯૮૬ જન્મ દિનની શુભેચ્છા મળી રહી છે.

 

(9:37 am IST)