Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

જૈન સાહિત્કાર મનોજ ડેલીવાળાનો જન્મદિવસઃ ૫૧માં વર્ષમાં પ્રવેશ

દિકરી આરાધનાને દીક્ષા આજ્ઞા અર્પણનો પણ અવસર

રાજકોટઃ તા.૧૮, કલમના કસબી જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાનો આજે જન્મદિવસ છે. દરેક ધાર્મિક પ્રસંગોને પ્રચાર-પ્રસારના માધ્યમથી લાખો લોકો સુધી જૈનાગમના આધાર સાથે સુંદર મજાનું અદ્ભુત આલેખન કરી પરમાત્માની જીનવાણી પીરસવાનું શ્રેષ્ઠ અને બેસ્ટ કાર્ય કરતા મનોજભાઇ શહેરના ચાતુર્માસ એવમ આયંબીલ ઓળીમાં બીરાજમાન પૂ.સંત-સતીજીઓની યાદી પ્રસિધ્ધ કરી શાસન પ્રભાવનામાં નિમિત બને છે. ભારતભરમાં દરેક સંપ્રદાયના પૂ.સાધુ - સાધ્વીજીઓ સાથે આત્મીયતા ભર્યા સંબધો ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ ડેલીવાળા રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ નમ્રમુનિ મ.સા.ના સંસારી બનેવી, પૂ.પ્રબોધીકાજી મ.સના સંસારી જમાઇ, પૂ.પરમ વિભુતીજી મ.સ.ના સંસારી ફુઆ તથા લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ. નેહાલીબાઇ મ.સ.ના સંસારી ભત્રીજા થાય છે. રાજકોટમાં મુમુક્ષુ આરાધનાબેનની દીક્ષા આજ્ઞા અર્પણવિધિ થઇ રહી છે. તે મનોજભાઇની લાડકી સુપુત્રી છે એક પિતા જન્મ દિવસના અવસરે  પોતાની વ્હાલ સોયી દિકરી જિન શાસનને અર્પણ કરશે જન્મદિવસે મનોજ ડેલીવાળા મો.૯૮૨૪૧૧૪૪૩૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:03 pm IST)