Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ગોંડલ નગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ

ગોંડલ, તા.૧પઃ નગરપાલિકાના યુવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા જીવન સફરના ૩૮ વર્ષ પૂર્ણ કરી આજે ૩૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ દ્વારા આ પહેલાના તેમના જન્મદિને ચક્ષુદાન તેમજ દેહદાનના સંકલ્પ કરવામાં આવ્યા છે. રાજેન્દ્રસિંહ જાડેજા તેઓના સુપરફાસ્ટ ડિસિઝન માટે પાલિકા તંત્રમાં  એક આગવી ઓળખ ધરાવે છે. લોકસેવાના કામ હોય કે પાલિકા કચેરીના કર્મચારીઓના કોઇ પ્રશ્રો હોય, ધડાધડ તેનો ઉકેલ લાવવામાં તેઓ હંમેશા તત્પર રહે છે તેથી જ તેમની લોકચાહના અનોખી છે. નગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય રાજેન્દ્રસિંહ જાડેજાનું તેજાબી ભાષણ સાંભળવા બહોળી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે, આજે તેમના જન્મદિને તેઓના મોબાઇલ નં.૯૮૯૮૯ ૪૭૬૫૬ પર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.(૨૩.૪)

 

(11:58 am IST)