Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના સેવક મનસુખભાઇ પરમારનો જન્મદિન

રાજકોટ : સત્સંગી સેવક, પત્રકાર અને મંત્રીશ્રી મનસુખભાઇ મગનભાઇ પરમારનો આજે જન્મ દિવસ છે. તેઓ જીવનના ૮ર વર્ષ પુરા કરી ૮૩ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. સ્વામીનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડના મહંત સ્વામી શાસ્ત્રી શ્રી રાધારમણદાસજીના હસ્તે મનસુખભાઇ મગનભાઇ પરમારનું શાલ ઓઢાડી, હાર પહેરાવી, મૂર્તિ અર્પણ કરી સન્માન કર્યુ હતું. આ પ્રસંગે બાલાજી હનુમાનજી મંદિરના યુવાન કોઠારી સ્વામી મૂનિવત્સલદાસજી સ્વામી તથા પાર્ષદ કાન્તી ભગત (શીઘ્ર કવિ), પૂર્વ કોઠારી બાલાજી હનુમાનજી મંદિર પણ ઉપસ્થિત રહેલ. દેવ ઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઇ રાધનપુરા, મંત્રી ભરતભાઇ અંબાસણા, ગાંધીનગરના જયોતિષી દલસુખભાઇ પરમાર, કેશોદ જ્ઞાતિના રસીકભાઇ પરમાર તથા વાંકાનેર જ્ઞાતિના પ્રમુખશ્રી જયંતિભાઇ પરમારે પણ અભિનંદન પાઠવેલ. (મો. ૯૪ર૮ર ૪૦૭૯પ)

(3:46 pm IST)