Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

સાવરકુંડલા : લોકગાયિકા શીતલબા રાજપૂતનો જન્‍મદિન

અમરેલી - સાવરકુંડલા તા. ૨૯ : લોકગાયિકા શીતલબા રાજપૂત ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩માં વર્ષમાં પ્રવેશતા જન્‍મદિવસના અવસર પર વિશાળ મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્‍છાઓનો ધોધ વછૂટયો છે. બાળપણથી જીભે માં સરસ્‍વતીનો વાસ હોયને સ્‍કૂલ કક્ષાએથી ગીત, લોકગીત, ભજન ગાઈને સ્‍કૂલ શાળામાં મનોરંજન આપવાના હેતુ સાથે જીવનમાં લોક ગાયિકા બનવાના સ્‍વપન સાકાર કરવાના મજબૂત ઈરાદા સાથે છેલા બે વર્ષમાં લોકગીતો અને ભજનોમાં ડંકો વગાડીને સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાત રાજ્‍યમાં ખ્‍યાતનામ કલાકારો સાથે કાર્યક્રમ આપી ચૂકેલા શીતલબા રાજપૂત આજે ૩૨ વર્ષ પૂર્ણ કરીને ૩૩ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા જન્‍મદિવસ નિમિતે લોક સાહિત્‍ય કારો, કલાકારો, ભજનિકો સાથે વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા શીતલબા રાજપૂત પર શુભેચ્‍છા ઓના ધોધ વછૂટયા છે.

(2:25 pm IST)