Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જૈન અગ્રણી તથા પાંજરાપોળનાંયોગેશભાઇ શાહનો આજે જન્‍મદિવસ

રાજકોટ તા. ર૦: સ્‍વતંત્ર સેનાની, જીવદયાનાં પ્રખર હિમાયતી સ્‍વ. રતિલાલ એ. શાહનાં સુપુત્ર યોગેશભાઇ શાહ, જે હાલ ધી કાંટા રોડ ઉપર વ્‍યવસાય કરે છે, તેઓ છેલ્લા ૪૦-૪ર વર્ષથી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ સાથે જોડાયેલ છે. પાંજરાપોળમાં બીમાર પશુનાં વોર્ડમાં જઇને તેની સંભાળ પણ લ્‍યે અને ધર્મ સંભળાવી તેની અંતિમ ઘડીઓ સુધારે. આ ઉપરાંત રાજકોટ સ્‍થાનકવાસી જૈન મોટા સંઘમાં નગીનભાઇ વિરાણી સાથે વર્ષો સુધી હોદ્દા પર રહી માનદ સેવા આપેલ છે. હાલમાં સ્‍વધર્મી બંધુ રાહત સમિતિમાં તેમજ ઋષભદેવ સ્‍થાનકવાસી જૈન સંઘમાં માનદ સેવા આપી રહેલ છે અને સ્‍વસ્‍તીક કો.ઓ.હા.સો.માં પણ સેવા આપી રહેલ છે. આ સિવાય બીજી અનેક જૈન ધાર્મિક સંસ્‍થાઓ અને સામાજિક સંસ્‍થાઓ સાથે જોડાયેલ છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં શ્રેયસભાઇ વિરાણી, સુમનભાઇ કામદાર, પંકજભાઇ કોઠારી, મુકેશભાઇ બાટવીયા, કરણભાઇ શાહ, બકુલેશભાઇ રૂપાણી, સંજયભાઇ મહેતા, દીલીપભાઇ વસા તથા રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળનાં સ્‍ટાફે તેમજ મિત્રવર્તુળ તરફથી યોગેશભાઇ શાહને મો. ૮૯૦પ૧ ૦૩પ૧૦ ઉપર શુભેચ્‍છા પાઠવેલ છે.

(5:48 pm IST)