Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

ભાજપના યુવા અગ્રણી ૩૬માં વર્ષના દ્વારે

સંજય ચાવડાને લોકસેવાનો રંગ, જન્મદિનની વધામણીનો ઉમંગ

રાજકોટ : શહેર ભાજપના માધ્યમથી લોકસેવાના રંગે રંગાયેલા સામા કાંઠાના યુવા અગ્રણી શ્રી સંજય અરૂણભાઇ ચાવડા (માલધારી) માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડ્યો છે. તેમનો જન્મ તા. ૧૭ સપ્ટેમ્બર ૧૯૮૬ના દિવસે થયેલ. આજે હૈયાના હરખથી ૩૬માં વર્ષના વધામણા કર્યા છે.

શ્રી સંજય ચાવડા પોતાના પિતાજીએ કંડારેલી લોકસેવાની કેડીએ સડસડાટ ચાલી રહ્યા છે. તેઓ ખોડીયાર મિત્ર મંડળના સ્થાપક છે. એ.બી.સી. સહકારી મંડળના સંચાલન દ્વારા આર્થિક જરૂરિયાતમંદ સામાન્ય લોકોને ઉપયોગી થવા તત્પર રહે છે. જન્માષ્ટમીએ ગ્રીનલેન્ડ ચોકડીએ નંદોત્સવ સહિત પરમાર્થની વિવિધ પ્રવૃતિઓ કરે છે. તેમણે જન્મદિની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇને યુવાનો જોગ સંદેશ આપ્યો છે કે 'યુવાઓ કે કંધો પર યુગ કી કહાની ચલતી હૈ, ઇતિહાસ ઉધર મુડ જાતા હૈ જીસ ઓર જવાની ચલતી હૈ...'  મો. ૯૮૨૫૭ ૦૭૦૮૮ અને ૯૮૨૫૭ ૦૭૦૨૩ રાજકોટ

(12:38 pm IST)