Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

આરસીસી બેન્કના ડીરેકટર રણજીતભાઇ વાઘેલાનો જન્મદિન

રાજકોટ તા. રઃ રાજકોટ કોમર્શિયલ કો. ઓપરેટીવ બેન્કના ડિરેકટર અને ભીલ સમાજના સેવાભાવી અગ્રણી રણજીતભાઇ વાઘેલાનો આજે તા. ર ના જન્મ દિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૬પ, વર્ષ પૂર્ણ કરી ૬૬, માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. આજે રામનવમી દિવસ હોય વાઘેલા પરિવારની ખુશી બેવડાઇ છે. રણજીતભાઇ ગીરનાર સીનેમા ખાતે પણ ફરજ બજાવી રહ્યા છે. કોઇપણની અંતિમક્રિયા વખતે નાત જાત જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વિના મદદ કરવા તેઓ સદા તત્પર રહે છે. તેમના જન્મદિને મો. ૯પ૩૭૮ ૬૧૩૧૭ ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:26 pm IST)