Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

જામજોધપુર જૈન સોશ્યલ ગ્રુપના સ્થાપક પ્રમુખ પ્રો.સી.એમ. મહેતાનો જન્મદિન

જામજોધપુર તા. ૧: જામ-જોધપુર જૈન શોશ્યલ ગ્રુપના સ્થાપક પ્રમુખ અને જામ-જોધપુર કોલેજના નિવૃત હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમીકસ પ્રો.સી.એમ. મહેતાનો ૧લી એપ્રિલના રોજ ૭પ મો જન્મદિન છે.

પ્રો.સી.એમ.મહેતા ૪૧ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવે છે.ભુતકાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચેરમેન બોર્ડ ઓફ ઇકોનોમીકસ તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપી ચુકયા છે આ ઉપરાંત ૭ જે.એમ.જી. ઇન્ટરનેશનલ ફેડરેશન સૌરાષ્ટ્ર રિજિયનમાં જોઇન્ટ સેક્રેટરી તેમજ વાઇસ ચેરમેન તરીકે સેવા આપેલી છે યુ.જી.સી. સુચિત અભ્યાસ ક્રમોના ૧૭ જેટલા પુસ્તકોમાં લેખક તરીકેની કામગીરી બજાવેલ છે .પ્રો.સી.એમ. મહેતાના આર્થિક અને સામાજીક લેખો અવારનવાર પ્રગટ થતા હોયછે. ઘણા વર્ષોથી ફ્રિ મેરેજ બ્યુરોનું સંચાલન કર ેછે.

પ્રો.સી.એમ.મહેતાના જીવનની સૌથી વિશેષતા એ છે કે ૭૪ વર્ષ સુધી કોઇપણ શીયાળાની કડકડતી ઠંડીમાં પણ કોઇપણ પ્રકારનું ગરમ વસ્ત્ર ધારણ કરેલ નથી.

પ્રો.સી.એમ. મહેતાનો મો. ૯૪ર૭ર ૮૦ર૮૭ છે.

(11:35 am IST)