Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ખોજા જ્ઞાતિના ધર્મગુરૂ આગાખાન સાહેબનો કાલે જન્મ દિવસ

સમગ્ર દુનિયામાં ખોજા જ્ઞાતિનાં ધર્મગુરૂ નામદાર આગાખાન સાહેબનો જન્મ દિવસ કાલે તા. ૧૩ ડીસેમ્બરના રોજ મનાવવામાં આવશે. સાલગ્રેહ ફારસી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ વર્ષગાંઠ થાય છે. નૂર મૌલાના શાહ કરીમ અલ-હુસૈની હાજર ઇમામ (અ.સ.) નામદાર આગાખાન સાહેબ તરીકે ઓળખાય છે. તેમનો મુબારક જન્મ સ્વિત્ઝરલેન્ડ દેશનાં જીનીવા શહેરમાં તારીખ ૧૩ મી ડીસેમ્બર, ૧૯૩૬ નાં રોજ થયો હતો. જેથી દર વર્ષે આ દિવસને સાલગ્રેહ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. દરેક વ્યકિત માટે જન્મ દિવસ ખુશીનો દિવસ છે. પરંતુ ઇમામ (અ.સ.)ના જન્મ દિવસની ખુશી અને અગત્યતા અનેકગણી વધારે હોય છે. આજે દુનિયાના અનેક દેશોમાં ખોજા જ્ઞાતિજનોનો વસવાટ છે. દુનિયાના અતિ પ્રગતિશીલ દેશો જેવા કે કેનેડા, ઇગ્લેન્ડ વગેરે દેશોમાં ભવ્ય જમાત ખાના સ્થપાયેલ છે. એક તરફ શહેરી જીવન ધોરણને સુધારવા આગાખાન રૂરલ સ્પોર્ટ પ્રોગ્રામ જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતાં. આગાખાન આર્કિટેકચર એવોર્ડ હસ્તક ઉત્તમ સ્થાપત્ય માટે એવોર્ડ આપવામાં આવે છે.  આગાખાન હેલ્થ સર્વિસ જેવી સંસ્થાઓ નાતજાતનાં ભેદભાવ વગર લોકોનાં આરોગ્યની કાળજી રાખે છે.

નામદાર આગાખાન સાહેબ પોતાના સામાજિક જીવનમાં દિવસ દરમિયાન સમયગાળામાં ર૪ કલાકમાંથી સતત ૧૮ થી ર૦ કલાક પોતાના મુરીદો માટે કામગીરી કરી રહ્યા છે. તેમની હાલની ઉમરમાં પણ પોતાના કામ પ્રત્યેની ચાહના હજુ પણ અકબંધ રાખેલ છે.  નામદાર આગાખાન સાહેબ ખોજા જ્ઞાતિઓને સંદેશો આપે છે કે, સઘળા કાર્યોમાં નિયમિતતા જરૂરી છે. પવિત્ર મઝહબની ઉત્તમ પ્રણાલિકા મુજબ વર્તવા માટેની તેઓ ઇચ્છા ધરાવે છે. તેમજ મઝહબનું જે શિક્ષણ ઇમામે ગુમાનથી મળતું રહે છે. તેને જીવનમાં ઉતારવાથી જ પોતાના મઝહબની ઉત્તમ પ્રણાલિકાનું પાલન થઇ શકે છે. માત્ર આ ભેટથી જ મૌલાને તેમજ તેમના જન્મ દિવસે ખુશ કરી શકાય છે.

સંકલન :-  સમીરભાઇ વિરાણી, બગસરા

(11:28 am IST)