Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન મનોજભાઇ અનડકટનો પ૭મા વર્ષમાં મંગલ પ્રવેશ

જામનગર તા. ૭ :.. સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનપદે રહીને યશસ્વી સેવાઓ આપનાર પુર્વ ચેરમેન શ્રી મનોજભાઇ એમ. અનડકટનો આજે પ૭મો જન્મ દિવસ છે. જામનગર મુકામે તા. ૭-૧ર-૧૯૬૩ ના રોજ તેઓનો જન્મ થયેલ. સતત ત્રીજી વખત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ચૂંટાયા છે.

શ્રી મનોજભાઇ ધારાશાસ્ત્રી તરીકે અને રાજકીય ક્ષેત્રે અપાર ચાહના નામના ધરાવે  છે. અનેક મર્ડર કેસો તેઓએ સફળતમ રીતે ચલાવ્યા છે. અત્યંત મિલનસાર સ્વભાવના અને સહાય હસતા ચહેરા સાથે અનુભવનું મોટું ભાથુ અને આધ્યાત્મિક - અલગ નિગમ ક્ષેત્રે પણ વિશાળ વાંચન-જ્ઞાન ધરાવતા શ્રી મનોજભાઇ અનડકટને પ૭માં વર્ષમાં પ્રવેશ નિમિતે અકિલા પરિવારની હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવીએ છીએ.

૧૯૮૮ ની સાલમાં જામનગર મુકામે તેમના પિતાશ્રી અને સૌરાષ્ટ્રના ધરખમ ગજાના ધારાશાસ્ત્રી મણીલાલ અનડકટ સાથે ફોજદારી, દિવાની, રેવન્યુ સાઇડની પ્રેકટીસની શરૂઆત કરેલ. મનોજભાઇ ભારતીય જનતા પાર્ટીના સતત ત્રણ ટર્મથી લીગલ સેલના કન્વીનર તરીકે સેવાઓ આપે છે. તેમજ જામનગર લોહાણા સમાજના કારોબારી સભ્ય છે. જામનગરની અનેક ધાર્મિક શૈક્ષણીક અને સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓના મોબાઇલ  નં. ૯૬૩૮પ ૧પ૧૪૭ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા શ્રી રાજુભાઇ ગણાત્રા, એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા, જામનગર 'અકિલા'ના બ્યુરો ચીફ શ્રી મુકુંદભાઇ બદિયાણી સહિત 'અકિલા' પરિવારે જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે.

(11:31 am IST)