Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

સોરઠીયા રાજપુત યુવા શકિતનાં કોર કમિટી મેમ્બર નિલેશ સોલંકીનો જન્મદિવસ

રાજકોટ તા. ૬: ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ સંજય આર્ટના માલિક અને સોરઠીયા રાજપુત યુવા શકિતનાં કોર કમિટી મેમ્બર નિલેશભાઇ સોલંકીનો આજે જન્મ દિવસ છે. ૪૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. માસ્ટર ડીગ્રી ધરાવતા નિલેશભાઇ માત્ર ૧૩ વર્ષની નાની ઉંમરે ચિત્રકળાનાં રંગે રંગાયેલા પરિવારનાં પરંપરાગત પેઇન્ટીંગ વ્યવસાયમાં જોડાય ગયા. સમય જતા હાલમાં તેઓ આધુનિક નિયોન બોર્ડ તેમજ સાઇન બોર્ડમાં સંજય આર્ટ સમગ્ર સૌરાષ્ટ્રમાં આગવું સ્થાન ધરાવે છે. રાજકોટમાં સોરઠીયા રાજપુત યુવા શકિતમાં કોર કમીટી ચેમ્બર તેમજ રેકસોર્ષનાં મોર્નિંગ ગ્રુપમાં સક્રિયતાથી સંકળાયેલા છે. ૧૯૯ર થી જ ભારતીય જનતા પાર્ટીનાં સક્રિય કાર્યકર તરીકેની સેવા પણ આપી રહ્યા છે. ક્રિકેટમાં સચીન તેંડુલકર તેમજ કલાકારોમાં સુજાતા મહેતા, સ્મૃતિ ઇરાની, અપરા મહેતા, જગજીતસિંહ, પંકજ ઉધાસ વિગેરે સેલીબ્રીટીને પોતાની ચિત્રકળાથી પ્રભાવીત કરેલ. આજે તેઓનાં જન્મ દિવસે સોરઠીયા રાજપુત યુવા શકિતનાં અલ્પેશ ગોહીલ, પ્રતાપસિંહ ચૌહાણ, દિવ્યેશ પરમાર, વિજયસિંહ ચૌહાણ, ભાર્ગવભાઇ પઢીઆરએ શુભેચ્છા પાઠવેલ છે. તેમના મો. ૯૮ર૪૪, ૭૭૭૭૩ છે.

(3:21 pm IST)