Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

ડો. આંબેડકર માનવ કલ્યાણ મંડળના પ્રમુખ અશોકભાઇ વાળાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૪ : ડો. બાબા સાહેબ આંબેડકર માનવ કલ્યાણ મંડળના પ્રમુખ અશોકભાઇ વાળાનો આજે જન્મ દિવસ છે. રાજકોટ જિલ્લા અનુ.જાતિ ડીપાર્ટમેન્ટના પ્રમુખ અને સમતા સૈનિક દળના પ્રમુખ તેમજ અનમોલ કો-ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના પ્રમુખ તથા અખિલ ભારતીય બૌધ્ધ ધર્મ એજયુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી પણ વહન કરતા અશોકભાઇ વાળા પર્યાવરણ પ્રેમી છે. પર્યાવરણ જાગૃતિ માટેની સાઇકલ સ્પર્ધામાં શિલ્ડ મેળવી ચુકયા છે. તેમની સેવાઓને રાજયપાલ આર. કે. ત્રિવેદીએ પણ બિરદાવી છે. ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડીમાં રમકડા વિતરણ, સ્લમ વિસ્તારોમાં ફ્રુટ વિતરણ, તહેવારોમાં સરબત-છાસ-પાણી વિતરણ, વૃક્ષારોપણ સહીતની પ્રવૃત્તિઓ તેઓ હાથ ધરતા રહે છે. આજે તેમના જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૯૪૨૭૭ ૨૦૪૮૯ છે.

(12:09 pm IST)