Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

નિવૃત આચાર્ય, પ્રવૃત શિક્ષણકાર જયંતીભાઇ જાનીનો જન્મદિન

રાજકોટ : શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી શારદામણી વિદ્યાલયમાં વર્ષો સુધી આચાર્ય તરીકે સેવા આપી નિવૃત થયેલા શ્રી જયંતીભાઇ એ. જાની માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૪૯ના વર્ષની તા. ૪ ડીસેમ્બરે થયેલ. આજે નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ધબકતા-ઝબકતા જીવનના ૭૧માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે યુવાન જેવી સ્ફૂર્તિથી કાર્યરત છે. તેઓ માત્ર પદવીલક્ષી નહિ, સર્વાંગી વિકાસલક્ષી શિક્ષણના હિમાયતી છે. તેમના અનુભવોનો નિચોડ એ છે કે દૂધમાં મેરવણ ઉમેરીએ તો દહીં બને, દહીંને વલોવતા માખણ બને. માખણને તપાવતા ઘી બને, ચારેય સફેદ રંગ જાળવી રાખે છે. કષ્ટ વખતે પોતાનો 'રંગ' બદલતા નથી એની કિંમત વધતી જાય છે. મૂલ્યોના માનવી જયંતીભાઇ જાનીની વધે નામના, એવી જન્મદિનની શુભકામના.      મો. ૯૪ર૮૪ ૬ર૦૬૩, રાજકોટ.

(11:48 am IST)