Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સ્વચ્છતાનો સંદેશ પ્રસરાવતા દુર્લભજીભાઈ ટાંકનો ૧૬મીએ જન્મદિવસ

રાજકોટઃ બીએપીએસ અક્ષરપુરસોત્તમ મંદીરના મ્યુ.કોર્પો.ના કાર્યકર તથા સ્વછતાં એમ્બેસેડર એવા શ્રી દુર્લભજીભાઈ ટાંકનો તા.૧૬ના ગુરૂવારે જન્મદિન છે. તેઓ જીવનના ૬૯ વર્ષ પૂર્ણ કરી ૭૦માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ પૂ.પ્રમુખ સ્વામી મહારાજના આર્શીવાદથી ૨૦૧૪થી શરૂ કરેલ સ્વચ્છતા અભીયાન અંતર્ગત સ્કુટરમાં આગળ પાછળ એલઈડીલાઈટ વાળી ડસ્ટબીન લગાવી સ્વચ્છતાનાં સંદેશ પ્રસારતું હરતુ ફરંતુ અભીયાન ચાલાવી રહ્યા છે. તેઓના જન્મદિન અગાઉ મિત્રો તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે. (મો.૯૮૯૮૮ ૭૦૬૭૩)

(11:58 am IST)